પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deendayal Awas Yojana 2023 | Pandit Dindayal Awas Yojana 2023-24 ગુજરાત
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 । ગરીબી રેખા નીચે આવતા લોકો ને મળશે મકાન સહાય સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, અને તેઓ જર્જરિત હાલતમાં છે.તેવા ગરીબ પરિવારોને પોતાનું નવું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ આર્થિક રીતે મદદરૂપ થાય છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે અરજી, તેના માટે શું-શું પાત્રતા કરેલી છે, તેના ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
અનુક્રમણિકા
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 હાઇલાઇટ્સ
યોજના | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 |
પ્રસિદ્ધ કરનાર | ઇ-સમાજ કલ્યાણ ગુજરાત સરકાર |
લાભાર્થી | ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને |
મળવાપાત્ર લોન | આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. |
અધિકૃત વેબસાઇટ | @esamajkalyan.gujarat.gov.in |
પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર લાભ 2023
- આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો 40000 રૂપિયા નો રહેશે જે લાભાર્થી તેમના ઘરના બાંધકામની શરૂઆત કરાવી લેવાનું રહેશે.
- ત્યારબાદ બીજા સપ્તાહમાં સરકાર દ્વારા ૬૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે દરમિયાન બાંધકામ શરૂ થયેલું હોવું જોઈએ.
- અને સરકાર દ્વારા આપવામાં આવતો હતો એ વીસ રૂપિયાની છે જેમાં હપ્તાની રકમ લાભાર્થીને પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
- સાથે સરકારે આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા સોચાલય નિર્માણ માટે 16,950/- આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
પંડિત દીનદયાળ આવાસ યોજનાનો મુખ્ય હેતુ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2023-24) દરમિયાન રૂ. 1,20,000ની મકાન સહાય માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવે છે પહેલા હપ્તામાં રૂ. 40,000 અને બીજા હપ્તામાં રૂ. 60,000ની રકમ મળવા પાત્ર છે. મકાન પૂરું થયા બાદ શૌચાલય બનાવી મકાનની તકતી માર્યા બાદ છેલ્લો હપ્તો 20,000 મળે છે. પહેલા હપ્તાની તારીખથી ૨ વર્ષમાં મકાનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે.
જે તે જીલ્લામાં લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓ હશે તેને જ ધ્યાને લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. જેથી સંપૂર્ણ માંગેલ વિગતો સહીત અરજી કરવાની રહેશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે. અરજીની હાર્ડકોપી જીલ્લા કચેરીમાં આપવાની નથી – પરંતુ જરૂર જણાયે જીલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જયારે ઓરીજનલ ડોક્યુમેન્ટ મંગાવામાં આવે ત્યારે બતાવવાના/આપવાના રહેશે.
પંડિત દીનદયાળ આવાસ યોજના કોને કોને લાભ મળશે
- આ યોજના માં લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
- લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
- આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
- જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
- લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
- જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
- જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
- અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
- બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
પંડિત દીન દયાળ આવાસ યોજના આવકમર્યાદા
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં : રૂ. 6,00,000
- આવક મર્યાદા શહેરી વિસ્તારમાં : રૂ. 6,00,000
પંડિત દીન દયાળ આવાસ યોજનાનીની સહાય કઈ રીતે મળશે?
- પ્રથમ હપ્તો : રૂ. 40,000નો જે લાભાર્થીના ઘરનું કામ શરુ કરવામાં માટે આપવામાં આવે છે.
- બીજો હપ્તો : રૂ. 60,000નો જે લાભાર્થીનું મકાન લીંટર લેવલે પોગે ત્યારે આપવામાં આવે છે.
- ત્રીજો હપ્તો : રૂ. 20,000નો જે લાભાર્થીનું મકાન સંપૂર્ણ પૂરું થયા પછી આપવામાં આવે છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ તમારે ઈ-સમાજ કલ્યાણની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in ઉપર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે તે વેબસાઈટમાં લોગીન કરવાનું રહેશે (યુઝર આઇડી તથા પાસવર્ડના આધારે લોગીન કરવું).
- ઈ-સમાજ કલ્યાણની વેબસાઈટ લોગીન કર્યા પછી તમારે નિયામક જાતિ વિકાસ કલ્યાણના મેનૂમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે પ્રથમ હપ્તા માટે અરજી કરો તેમાં ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે તમારી વ્યક્તિગત વિગત ભરવાનું પેજ જોવા મળશે. આ પેજમાં તમારે તમારી બધી વ્યકિતગત માહિતી ભરવાની રહેશે જેમ કે પાસપોર્ટ સાઈડનો ફોટો અપલોડ કરવો, અટક સાથેનું નામ લખવું, મોબાઈલ નંબર, તમારુ સરનામું, તમારી વાર્ષિક આવક કેટલી છે, તમે ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છો, કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી છે, બેન્ક એકાઉન્ટ નંબર વગેરે વગેરે વિગતોનો સમાવેશ થાય છે.આ માહિતી સંપુર્ણ સાચી અને પૂરી ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- તૃતીય પગલું પૂર્ણ કર્યા બાદ હવે નવું પેજ ખુલશે જેમાં તમારા બેંક પાસબુક પ્રથમ પેજનો ફોટો, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અપલોડ કરવાના બધા જ ડોક્યુમેન્ટની સાઈઝ 1MB થી ઓછી હોવી જરૂરી છે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે શરતો અને નિયમો વાંચ્યા છે. પછી ત્યાં આપેલાં ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં લખેલું હશે ઉપર આપેલી બધા જ નિયમો અને શરતો થી હું સહમત છું. પછી તમારે Save Application બટન પર ક્લિક કરવાનું રહેશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે રજૂ કરવાના દસ્તાવેજ
- અરજદારની જાતિનો દાખલો તેમજ આવક નો દાખલો
- રહેઠાણના પુરાવા
- ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કરેલા હોય તેમના માટે અલોટમેન્ટ લેટર નું પ્રમાણપત્ર
- જમીનના આધાર પુરાવા
- અરજદારને મકાન સહાય માટેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી
- ઇન્સ્પેક્ટરે ને આપવા માટે પ્રમાણપત્ર
- બીપીએલ દાખલો
- જો અરજી કરનાર વ્યક્તિએ વિધવા હોય તો પોતાના મરણ દાખલો
- પાસબૂક
- અરજદારનો ફોટો
સતાવાર સાઈટ
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |